ઈ – વિદ્યાલયનાં મુખ્ય ધ્યેય નીચે પ્રમાણે છે.
- શિક્ષણ ગુણવત્તાવાળું હોવું જોઈએ.
- ભણવામાં મોકળાશ હોવી જોઈએ. (જે ના સમજાય એ ફરી ફરીને જોઇને , સાંભળીને શીખી શકાય તો કેવી મજા!)
- ભણવામાં મોકળાશ માટે વિડીયો લાઈબ્રેરી બનાવી છે.
- ભણવામાં સમયનું બંધન ના રહે. શાળા બાદના સમયે પણ, કોઈપણ વિષય કે કોઈપણ પ્રકરણ સરળતાથી શીખી શકાય.
- ખાસ કરીને શિક્ષણજગતમાં સળગતા ટ્યુશનના પ્રશ્નનો ઉકેલ મળે.
- શાળામાં વધુ ભાર પ્રોજેક્ટ-બેઇઝ સ્ટડી ઉપર મૂકી શકાય.
- જૂની શીખેલી વાત જો ભુલાઇ ગઈ હોય તો પણ એનું પુનરાવર્તન ઝડપથી કરી શકાય.
- મનગમતા વિષયોમાં જાતે જ વધારે અભ્યાસ સરળતાથી કરી શકાય.
- ગુજરાત રાજ્યના અને ભારત દેશના (અરે દુનિયાના) ખૂણે ખૂણે ઈ-વિદ્યાલયનો લાભ બધા વિદ્યાર્થીમિત્રોને મળે.
- જ્ઞાનના વિસ્તરતા જતા ક્ષેત્રમાં જાતે પ્રયાણ કરી શકાય. અભ્યાસેતર પ્રવૃત્તિઓ / હોબીઓ/ ક્રાફ્ટ વિ. થી કલ્પના શક્તિ, સર્જન શક્તિ ખીલે અને જાતે નવો અભ્યાસ કરવાની હિમ્મત આવે.
- વાલીઓ અને બાળકો ( ખાસ તો કિશોરો ) વચ્ચે વિચાર વિનિમય અને એકમેકના અનુભવોના આદાન / પ્રદાન માટે એક પ્લેટફોર્મ ઊભું થાય.
આ ઈ-વિદ્યાલય મારા પૂજ્ય પિતાજી આદરણીય યશવંતભાઈ શાહ અને માતા વીણાબેન શાહ ને સમર્પિત.માતા-પિતા તો મારા શ્રેષ્ઠ શિક્ષક છે જ. તે ઉપરાંત મારી શાળા-કોલેજનાં તમામ શિક્ષકોને તથા જીવનના દરેક નાના-મોટા અનુભવોમાં જુદા જુદા સ્વરૂપે મળેલા ગુરુજનોને અને ખાસ તો મારા રાજ્યના અને દેશના (અરે દુનિયાના) બધા જ વિદ્યાર્થીમિત્રોને ઈ-વિદ્યાલય સમર્પિત કરું છું.
– હિરલ મિલન શાહ
No comments:
Post a Comment
તમારાં અમૂલ્ય પ્રતિભાવ અને સૂચનો લખી અમને પ્રોત્સાહિત કરશો ને?